Get The App

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો 1 - image

તળાવમાં માછીમારી કરવા ચાર યુવકો આવ્યા હતા

ઉમરાળા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગર-  ઉમરાળા તાલુકાના ધારૃકા ગામના તળાવમાં માછીમારી કરવા આવેલા ચાર યુવકો ચોરી કરવા આવ્યા હોવાની શંકાએ ત્રણ શખ્સોએ માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પાલિતાણા ખાતે રહેતા દિપકભાઈ કનુભાઈ પરમારે ઉમરાળા પોલીસ મથકમાં હાર્દિક ગોવિંદભાઈ રબારી, જગા હરીભાઈ ભરવાડ અને મુકેશ પટેલ (તમામ રહે.ધારૃકા) વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૯-૪ના સાંજે તેઓ તથા  તેમના મામા દિપકભાઈ, કુટુંબી સાળો કરણ તથા સુરેશભાઈ બકરાણીયા સાથે બે અલગ-અલગ બાઈકમાં ધારૃકા ગામે આવેલા તળાવમાં માછીમારી માટે આવ્યા હતા ત્યારે ધારૃકા ગામના ઉક્ત લોકોએ તેઓ ચોર હોવાની શંકાએ અપશબ્દો કહી ધોકા અને ઢીકાપાટું વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.