Get The App

ઓનલાઈન વેપારી યુવાને પૂર્વ પત્ની, મિત્રોએ મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો હતો

મૂળ રાજકોટના જયદીપ સાટોડીયાએ દોઢ વર્ષ અગાઉ શીતલ રાઠવા સાથે પ્રેમલગ્ન કર્યા પણ ઝઘડો કરી મારતી હોવાથી ડિવોર્સ લીધા હતા

શીતલ અને તેના 11 સ્ત્રી-પુરુષ મિત્રોએ ગત બીજીએ તેને માર માર્યાના બે દિવસ પછી જયદીપે રાત્રે મોટા વરાછા દુખીયાના દરબાર રોડ પાસે હની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પીધી હતી

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
ઓનલાઈન વેપારી યુવાને પૂર્વ પત્ની, મિત્રોએ મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો હતો 1 - image


- મૂળ રાજકોટના જયદીપ સાટોડીયાએ દોઢ વર્ષ અગાઉ શીતલ રાઠવા સાથે પ્રેમલગ્ન કર્યા પણ ઝઘડો કરી મારતી હોવાથી ડિવોર્સ લીધા હતા

- શીતલ અને તેના 11 સ્ત્રી-પુરુષ મિત્રોએ ગત બીજીએ તેને માર માર્યાના બે દિવસ પછી જયદીપે રાત્રે મોટા વરાછા દુખીયાના દરબાર રોડ પાસે હની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પીધી હતી


સુરત, : સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્રાણ પોલીસે યુવાનની સ્યુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની અને તેના 11 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટ ગોંડલ આઈટીઆઈ પાસે સાટોડીયા સોસાયટીના વતની અને સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચતત્ત્વ રેસિડન્સી ડી-02/402 માં રહેતા 65 વર્ષીય મસુખભાઈ ટપુભાઈ સાટોડીયાનો પુત્ર જયદીપ ( ઉ.વ.30 ) ઘરેથી ઓનલાઇન કુર્તીનો ધંધો કરતો હતો.જયદીપે નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયું ઘર નં.65 માં રહેતા લાલુભાઈ પી.રાઠવાની દિકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023 ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી.શીતલ જયદીપને વાળ પકડીને માર પણ મારતી હતી અને ગાળો આપતી હતી.ઘરમાં ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઇક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી.

ઓનલાઈન વેપારી યુવાને પૂર્વ પત્ની, મિત્રોએ મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો હતો 2 - image

જોકે, બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી.તે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસીટી તથા દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ આપતી હોય 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બંનેએ છૂડાછેડા લીધા હતા.દરમિયાન, ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના 11 સ્ત્રી-પુરુષ મિત્રો સાથે મળી માર માર્યો હતો,બાદમાં પિતા વતનમાં લગ્નપ્રસંગમાં ગયા હતા ત્યારે ચોથીની રાત્રે જયદીપે મોટા વરાછા દુખીયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે કાપોદ્રાની પી.પી.માણીયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પણ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

જયદીપની અંતિમ વિધી બાદ પરિવારે તેના મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી સ્યુસાઈડ નોટ મળી હતી.તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી તે પહેલા બનાવેલા ત્રણ વિડીયો મળ્યા હતા,તેમાં પણ તેણે પૂર્વ પત્ની શીતલ અને તેના મિત્રોના ત્રાસ અંગે કહ્યું હતું.તેના આધારે જયદીપના પિતા મનસુખભાઈએ ગતરોજ ઉત્રાણ પોલીસ મથકમાં શીતલ લાલુભાઇ રાઠવા ( ઉ.વ.26 ), પ્રણાલી, ટીના, રૂચિત, મોસીન ટાઇગર, રીચા, નીરવ, આયાન, કંચન, હીના, દેવલ અને યુવી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વધુ તપાસ સેકન્ડ પીઆઈ એન.જી.પટેલ કરી રહ્યા છે.

ઓનલાઈન વેપારી યુવાને પૂર્વ પત્ની, મિત્રોએ મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો હતો 3 - image

સ્યુસાઈડ નોટ અને વીડિયોમાં પત્નીના દગાની વાત કરી

મેં એને પાછો મોકો આપ્યો અને તેણે મારી ગેમ રમી : મારા મરવા પાછળ ઘણા બધા લોકો છે

સુરત, : જયદીપે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી પાપા મને માફ કરજો, હું હારી ગયો છું.મારી લાઇફ બગાડી નાખી અને મે એને બોવ મોકા આપ્યા એણે મારી સાથે ખોટુ કર્યું, બધા એ ના પાડી છતા મે એને પાછો મોકો આપ્યો અને તેણે મારી ગેમ રમી.મારા મરવા પાછળ બોવ બધા લોકો છે,પ્રનાલી, ટીના, રૂચિત, મોસિન, રીચા, નિરવ, આયાન, કંચન, હીના, દેવલ, યુવી, હજી બી છે જેના નામ નથી ખબર.હુ આ લોકોના લિધે મારી લાઇફ ખરાબ થઇ ગઈ અને મે બહુ બધુ સહન કર્યું.હવે મારામાં હિમ્મત નથી આ લોકો મને મારે છે આ મારા ફ્રેંડ બી મારી નાખવા સુધી મને મારી નાખવા બોલ્યા છે મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા.મારા ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે. મારામા હિમ્મત નથી મને મરવા સુધી મજબુર કરી હું હારી ગયો તેમ છું.શીતલ શુ કામ મારી સાથે આવુ કર્યુ કે બીજાના લિધે મારી લાઇફ ખરાબ દિધી તે હું જાવ છુ આજ સુધી મે તને આપેલા વચન નિભાવ્યા છે.મારી ભુલ શુ હતી કે જે મે તારુ વિચાર કર્યો તે મારી લાઇફ ખરાબ કરી તે મારી કદર ના કરી તે મને જવાબ દેજે મે શુ બગાડ્યું તુ તારુ શીતલ આ લોકો મને બહુ જ હેરાન કર્યો છે.હું લાઇફથી આ બધાથી હારી ગયો છે એટલે આ પગલુ ભરુ છુ, મને માફ કરજો બધા.

જયદીપે ઝેરી દવા પીધી તે પહેલાનો આશરે એક ત્રીસ મિનિટનો એક વિડીયો તથા બીજો વિડીયો પંદર મીનીટ અઠીયાવીસ સેકન્ડ તથા ત્રીજો વિડીયો આઠ મીનીટ વીસ સેકન્ડનો બનાવી તેમાં પણ સ્યુસાઈડ નોટમાં જે વાત લખી હતી તે વર્ણવી હતી.

Tags :