Get The App

વડોદરામાં નિકાહમાં હાજરી આપી મધરાતે પત્ની સાથે પરત ફરતા યુવક ઉપર હુમલો

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં નિકાહમાં હાજરી આપી મધરાતે પત્ની સાથે પરત ફરતા યુવક ઉપર હુમલો 1 - image


Vadodara : વડોદરાના કરોડિયા વિસ્તારમાં મધરાતે બાઈક ઉપર પત્ની સાથે જતા યુવક ઉપર ચાર જણાએ હુમલો કરતા જવાહરનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કરોડિયા રોડના રમેશનગરમાં રહેતા અલી હસન સૈયદે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.25મી એ રાત્રે અમારા પાડોશીને ત્યાં નિકાહનો પ્રસંગ હોવાથી વરઘોડો નીકળ્યો હતો. પરંતુ શિવાય બંગલોઝ પાસે પવન સાથે વરસાદ પડતા લાઈટો જતી રહી હતી. જેથી વરઘોડો બંધ રાખી સાઈનાથ સોસાયટીમાં નિકાહની વિધિ કરવામાં આવી હતી. 

યુવકે કહ્યું છે કે, રાત્રે 2 વાગે હું મારી પત્ની સાથે બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે રમેશનગરમાં રહેતા માહિર ચાવડાએ મને રોક્યો હતો. આ વખતે મોહસીન રાઠોડ, અજય મહિડા અને ઈકબાલ હલદરવા પણ ત્યાં હાજર હતા. માહિર ચાવડાએ સાઈનાથ સોસાયટીના તોડી નાખેલા બાંકડા નાખી આપ તોજ સમાધાન થશે કેમ કહી બાઈકને પાડી દીધી હતી. 

ત્યારબાદ ઈકબાલે મારામારી કરી હતી અને અજય પ્લાસ્ટિકની પાઇપ મારી હતી. તેઓ ભેગા મળીને ગાળો બોલી માર મારતા હોય મેં અને મારી પત્ની બુમો પાડી હતી. જેથી મોહસીન જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો. જવાહર નગર પોલીસે ચારે હુમલાખોરો સામે ગુનો દાખલ કર્યો છે. 

Tags :