Jamnagar Crime : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા મગનભાઈ મેરૂભાઈ પરમાર નામના 22 વર્ષના દેવીપુજક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી મુઢ માર મારવા અંગે પોતાના જ બે પિતરાઈ ભાઈઓ રાજુ માધુભાઈ પરમાર અને સવજી માધુભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન મગનભાઈ અને તેના પિતરાઈ ભાઈ રાજુભાઈ વચ્ચે આજથી એક વર્ષ પહેલા ઝઘડો થયો હતો, અને બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. જેના મનદુખના ભાગરૂપે આ હુમલો કરી દેવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. શેઠ વડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.


