Gujarat
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ હુમલો કર્યો
By GS TEAM
9 Dec 20251 min read
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનની કારને નડેલા અકસ્માતનો ખર્ચ આપવા બાબતે ફરિયાદી વેપારી અને આરોપી આદેશ ભરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જે બાબતેના મનદુઃખના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
Summarized by AI; it may make mistakes. Check important info
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનની કારને નડેલા અકસ્માતનો ખર્ચ આપવા બાબતે ફરિયાદી વેપારી અને આરોપી આદેશ ભરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જે બાબતેના મનદુઃખના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા માનવભાઈ ચંદ્રેશભાઇ તારવાણી નામના 21 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર હુમલો કરી માથું ફોડી નાખવા અંગે આદેશ ભરતભાઈ, વિશાલ ભરતભાઈ, ગફારભાઈ તથા તેના એક સાગરીત સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત વેપારી યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને તેને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનની કારને નડેલા અકસ્માતનો ખર્ચ આપવા બાબતે ફરિયાદી વેપારી અને આરોપી આદેશ ભરતભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જે બાબતેના મનદુઃખના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.








