Get The App

પશ્ચિમ રેલ્વે દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રતાપનગર રેલ્વે કોલોનીથી કાયાવરોહણ સુધીની સાયકલિંગ રેલીમાં અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
પશ્ચિમ રેલ્વે દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી 1 - image

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગમાં "મિશન લાઇફ" અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ "પ્રકૃતિ બચાવો, પ્રકૃતિ અપનાવો" (પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો)હતી.

પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતાપનગર રેલ્વે કોલોનીથી કાયાવરોહણ સુધીની સાયકલિંગ રેલીમાં પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર, મંડળ રેલ પ્રબંધક  રાજુ ભડકે અને વરિષ્ઠ વિભાગીય અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને પર્યાવરણના રક્ષણ માટે શપથ લઈ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિભાગના વિવિધ સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ, વર્કશોપ, ડેપો અને આરોગ્ય એકમો પર વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ શપથ અને જાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ડિવિઝનના સ્ટેશનો પર મુસાફરોને પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોનો ઉપયોગ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિક બોટલનો નિકાલ કરવા અને સ્ટેશનો પર કચરો ઘટાડવા માટે શિક્ષિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતાપ નગર ખાતે રોલિંગ સ્ટોક પાર્કમાં નેરોગેજ યુગનો કિંમતી વારસો સાચવવામાં આવ્યો છે.  અશોક કુમાર મિશ્રએ હેરિટેજ સ્થળની મુલાકાત લીધી અને સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી અને તેને ભારતીય રેલ્વેના સુવર્ણ ભૂતકાળને જાળવવાનો પ્રેરણાદાયક પ્રયાસ ગણાવ્યો હતો.

Tags :