Gujarat

ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત

By GS TEAM
18 Apr 20261 min read
ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત

વડોદરા,ખિસકોલી સર્કલ નજીક બે મોપેડ વચ્ચે અકસ્માત થતા ઇજાગ્રસ્ત થયેલી મહિલા બે દિવસ પછી પણ  હજી બેભાન અવસ્થામાં જ  હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.

ખિસકોલી સર્કલ પાસે જય સંતોષીનગર વુડાના મકાનમાં રહેતો સંજય ઓડ ગત ૧૪ મી તારીખે રાત્રે ૧૦ વાગ્યે પત્ની અને બાળકો સાથે મોપેડ પર નાસ્તો કરવા માટે નીકળ્યો હતો. ત્યાંથી પરત આવતા સમયે રાત્રે પોણા એક વાગ્યે ખિસકોલી સર્કલથી જય સંતોષીનગર વુડાના મકાનના ગેટ સામે રોડના કટ નજીક રોડ ક્રોસ કરતા સમયે દરબાર ચોકડી તરફથી આવતા મોપેડના ચાલકે ટક્કર મારતા તેઓ પરિવાર સાથે રોડ પર પટકાયા હતા. તેની  પત્ની અંજલીને માથામાં ગંભીર ઇજા થતા તે  હજી બેભાન  હાલતમાં જ  છે. જ્યારે અકસ્માત કરનાર મોપેડ સવાર દંપતીને પણ ઇજા પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર મોપેડ ચાલક  હિતેન્દ્રસિંહ હિંમતસિંહ રાઉલજી (રહે. ઝાડેશ્વર મંદિર પાસે, અક્ષરચોક) સામે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન અંજલીબેનનું મોત થયંુ છે.