Gujarat

જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ

By GS TEAM
14 Nov 20251 min read
TukuTouch Logo
તેણીને કોઈ ઝેરી જાનવર કરડી જતાં વિપરિત અસર થઈ હતી અને બેશુદ્ધ બની હતી

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ગઢકડા ગામમાં રહેતી રહેમતબેન ઈરફાનભાઇ નામની 43 વર્ષની મહિલા ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી તેમની બકરીઓને ઘાસ ચારો દેવા માટે પોતાની વાડીના શેઢે ગઈ હતી. જે દરમિયાન તેણીને કોઈ ઝેરી જાનવર કરડી જતાં વિપરિત અસર થઈ હતી, અને બેશુદ્ધ બની હતી.

 જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઝેરી અસર થવાના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, આ બનાવ અંગે મૃતકના પતિ ઈરફાનભાઇ ઉમરભાઈ સંધિએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસને જાણ કરતા પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.