સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી હૉસ્પિટલની બેદરકારી, નસબંધી કરાવવા આવેલી મહિલાનો ભોગ લેવાયો
Surendranagar News: સુરેન્દ્રનગરના થાનગઢ સરકારી હૉસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોએ ડૉક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યો હતો અને હૉસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, થાનગઢનાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 25 વર્ષીય મહિલા કંચનબેન પરમારને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, નસબંધીનાં ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આરોપ છે કે નસબંધીના ઓપરેશન દરમિયાન ડૉક્ટરની બેદરકારીના કારણે કંચનબેનનું મૃત્યુ થયું હતું. આ મામલે પરિવારજનોએ બેદરકારી દાખવનાર ડૉક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ હૉસ્પિટલ ખાતે દોડી આવી હતી.
આ પણ વાંચો: 8100 રૂપિયામાં મહા કુંભની યાત્રા : દરરોજ ઉપડશે ST વોલ્વો બસ, શિવપુરી ખાતે રાત્રિ રોકાણ