Gujarat

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત

By GS TEAM
27 Mar 20261 min read
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત

નવા 150 ફૂટ રોડ પર લાઇટ હાઉસ પાસે

અટીકા નજીક યુવાનની બિલ્ડિંગ પરથી ઝંપલાવી આત્મહત્યા : ચોથા માળેથી ઝંપલાવ્યાનું અનુમાન

રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક નજીક ટાઇટેનીયમ બિલ્ડિંગમાં રહેતા જીજ્ઞાબેન આકાશભાઇ શુક્લા (ઉ.વ.૪૦)નું નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર લાઇટ હાઉસ પાછળ પરશુરામ મંદિર નજીક તળાવમાં ડૂબી જતા મૃત્યું નિપજ્યું હતું.

ગાંધીગ્રામ-૨ પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ, મૃતકને સંતાનમાં ૯ વર્ષની પુત્રી છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. તે સવારે ઘરેથી નિકળી ગયા બાદ પરશુરામ મંદિર પાસે તળાવમાંથી તેની લાશ મળી હતી. જે અંગે નજીકના ખેતરમાં કામ કરતા શ્રમિકોએ જાણ કરતા ગાંધીગ્રામ-૨ પોલીસના એએસઆઇ જયદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને ચામડીની બીમારી હોવાથી સંભવતઃ તેના કારણે આપઘાત કર્યાનું અનુમાન છે.

બીજા બનાવમાં અટીકામાં આહીર ચોક નજીક રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા ઉદયનભાઇ દિલીપભાઇ લાંબા (ઉ.વ.૪૨)એ તેના ઘર નજીકના શાશ્વત એપાર્ટમેન્ટમાં જઇ ઉપરના માળેથી નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. ભક્તિનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અપરણીત હતા. સવારે વોકીંગમાં જવાનું કહીં ઘરેથી નિકળ્યા હતા. માનસિક તકલીફને કારણે સંભવતઃ એપોર્ટમેન્ટના ચોથા માળેથી ઝંપલાવી દીધાનું પોલીનું અનુમાન છે.