Gujarat

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
સુરત શહેરની પ્રજાને પાણી પુરો પાડવાનો એક જ સ્ત્રોત તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી જળકુંભીની સમસ્યા એ માથું ઉચક્યું છે. તાપી નદીમાં સફાઇ માટે ડીવીડર મશીન રાખ્યા છે પરંતુ યોગ્ય કામગીરી થતી ન હોવાથી વિયરના જળાશયમાં જળકુંભી નું સામ્રાજ્ય વધી રહ્યું છે. અનેક ફરિયાદ છતાં પણ જળકુંભી ની સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાથી આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે. પાલિકા તંત્ર હજી પણ ન જાગે તો જળકુંભી સાથે હાલ લીલનું પ્રમાણ વધી રહ્યું છે તેથી વોટર વર્કસ ની કામગીરી પર પણ અસર પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ

સુરત શહેરની પ્રજાને પાણી પુરો પાડવાનો એક જ સ્ત્રોત તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી જળકુંભીની સમસ્યા એ માથું ઉચક્યું છે. તાપી નદીમાં સફાઇ માટે ડીવીડર મશીન રાખ્યા છે પરંતુ યોગ્ય કામગીરી થતી ન હોવાથી વિયરના જળાશયમાં જળકુંભી નું સામ્રાજ્ય વધી રહ્યું છે. અનેક ફરિયાદ છતાં પણ જળકુંભી ની સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાથી આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે. પાલિકા તંત્ર હજી પણ ન જાગે તો જળકુંભી સાથે હાલ લીલનું પ્રમાણ વધી રહ્યું છે તેથી વોટર વર્કસ ની કામગીરી પર પણ અસર પડી શકે છે. 

સુરત પાલિકાની ચૂંટણી પહેલા શાસકોએ મુગલીસરા નું નામ તાપી પુરા અને પાલિકા ભવન નું નામ તાપી ભવન રાખી લીધું છે. પરંતુ તાપી નદીની સફાઈ માટે પાલિકા તંત્ર હજુ પણ જાગૃત થયું નથી જેના કારણે તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ જળકુંભી અને લીલની સમસ્યા શરુ થઈ ગઈ છે. જોકે, આ પહેલા ચોમાસા દરમિયાન કોઝવે ઓવર ફ્લો થતા કોઝવેમાં રહેલી જળકુંભી દરિયામાં વહી ગઈ હતી તેથી સમસ્યાનો અંત આવ્યો હતો. 

હવે કોઝવેમાં ફરી જળકુંભીની સમસ્યા શરુ થઈ ગઈ છે અને અનેક જગ્યાએ જળકુંભી નો જથ્થો દેખાઈ રહ્યો છે. ભૂતકાળમાં આ જળકુંભી નો જથ્થો અને લીલ પાલિકાના વોટર વર્કસ માં ફસાઈ જતા અનેક વખત વોટર વર્કસ ખોટકાઈ ગયા હતા. તેને દુર કરવા માટે પાલિકા દ્વારા ડીવીડર મશીન થી સફાઈ કરાવવામાં આવી હતી. હાલમાં પણ પાલિકાએ વિયરમાં ડીવીડર મશીન પાડ્યા છે પણ સફાઈ ન થતી નથી અને હજી પણ કેટલીક જગ્યાએથી તબેલા નું પાણી તાપી નદીમાં આવી રહ્યું છે તેના કારણે જળકુંભીની સમસ્યા વધી રહી છે. 

આ માટે અનેક ફરિયાદ થઈ રહી છે તેમ છતાં પણ જળકુંભીની સફાઈ થતી નથી જેના કારણે  પાણીની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભો થયો છે. જો પાલિકા તંત્ર ત્વરિત સફાઈ નહી કરાવે તો આગામી દિવસોમાં તાપી નદીમાંથી આવતા રો વોટરની ગુણવત્તામાં ઘટાડો થાય તેવી શક્યતા છે. જેના કારણે પાલિકા તંત્ર તાત્કાલિક સફાઈ કરે તેવી માંગણી થઈ રહી છે.