Get The App

વાવાઝોડા પહેલાં અને પછી શું કરવું અને શું નહીં કરવું?

- સંભવિત વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ

Updated: Jun 11th, 2019

GS TEAM


Google News
Google News
વાવાઝોડા પહેલાં અને પછી શું કરવું અને શું નહીં કરવું? 1 - image


અમદાવાદ, તા. 11 જૂન 2019, મંગળવાર

આગામી બે દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે વાયુ નામનું વાવાઝોડું આવવાનું છે જેથી સરકારે વાવાઝોડું આવે તે સમયે નાગરિકોએ શું કરવું અને વાવાઝોડું સમી ગયા પછી શું કરવું તે માટેની માર્ગદર્શિકા સરકારે બહાર પાડી છે.

વાવાઝોડા પહેલાં અને પછી શું કરવું અને શું નહીં કરવું? 2 - image

ગુજરાતના વેરાવળથી દક્ષિણ દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામકશ્રી દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે નાગરિકોને અનુરોધ કરાયો છે. આ તકેદારીના પગલા અનુસાર વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

- રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.

- સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. 

- આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો. 

- સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો. 

- ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો. 

- માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી. 

- અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.

- આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.

- સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. 

- અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા

- જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી. 

- રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.

- વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

- વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

- વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી. 

- દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં. 

- વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી. 

- માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી. 

- અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો. 

- ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડા પહેલાં અને પછી શું કરવું અને શું નહીં કરવું? 3 - image

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

- બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. 

- અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. 

- જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થ

જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. 

- ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું. 

- અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી

Tags :