પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway : પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને વધારાના પ્રવાસી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખી બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા સ્ટેશન વચ્ચે વિશેષ ભાડે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે.
બાંદ્રા ટર્મિનસ-દુર્ગાપુરા તા.17 નવેમ્બરે સવારે 10 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગલા દિવસે સવારે 05:30 વાગ્યે દુર્ગાપુરા પહોંચશે. તેવી જ રીતે દુર્ગાપુરા-બાંદ્રા ટર્મિનસ તા.16 નવેમ્બરે બપોરે 12:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગલા દિવસે સવારે 7 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ,નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સહિતના સ્ટેશનો પર રોકાશે. બુકિંગ 15 નવેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.








