Get The App

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

ચાર જોડી ટ્રેનોનું વડોદરા રોકાણ

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે 1 - image

 

તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. જે પૈકી ચાર જોડી ટ્રેનોનું વડોદરા સ્ટેશન ઉપર રોકાણ રહેશે. જેમાં વલસાડ-બરૌની, ઉધના-સમસ્તીપુર, પ્રતાપનગર - જયનગર ફેશિયલ અને પ્રતાપનગર - કટિહાર ટ્રેનોનો સમાવેશ થાય છે. 

વલસાડ - બરૌની દરરોજ વલસાડથી બપોરે ૧૨: ૫૦ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે 6:05 કલાકે બરૌની પહોંચશે. આ ટ્રેન ૧૪થી ૨૭ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બરીની -વલસાડ દરરોજ સવારે ૧૧થ૦૦ કલાકે બરૌનીથી ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે ૪થ૩૦ કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન ૧૯થી ૨૯ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેમજ ઉધના - સમસ્તીપુર દરરોજ ઉધનાથી રાત્રે ૧૧ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે ૧૧:૩૫ કલાકે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન ૧૪ થી ૨૭ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે સમસ્તીપુર -ઉધના દરરોજ બપોરે ર:૩૦ કલાકે સમસ્તીપુરથી ઉપડશે. અને શનિવારે સવારે ૪ :૩૦ કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન ૧૬થી ૨૯ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. જ્યારે પ્રતાપનગર - કટિહાર સાપ્તાહિક તા.૧૫ અને ૨૨ ઓક્ટોબરે પ્રતાપ નગરથી ઉપડશે. અને શુક્રવારે સવારે ૦૭:૧૫ કલાકે કટિહાર પહોંચશે. તેવી જ રીતે કટિહાર - પ્રતાપનગર સાપ્તાહિક તા. ૧૭ અને ૨૪ ઓક્ટોબરે સવારે ૧૧:૧૫ કલાકે કટિહારથી ઉપડશે. અને રવિવારે રાત્રે ર:૩૦ કલાકે પ્રતાપનગર પહોંચશે. તથા પ્રતાપનગર-જયનગર સ્પેશિયલ સાપ્તાહિક તા. ૧૯ અને ૨૬ ઓક્ટોબરે સાંજે ૪:૩૫ કલાકે પ્રતાપનગરથી ઉપડશે. અને મંગળવારે સવારે ૧૦:૦૦ કલાકે જયનગર પહોંચશે. તેવી જ રીતે જયનગર - પ્રતાપનગર સ્પેશિયલ સાપ્તાહિક તા.૨૧ અને ૨૮ ઓક્ટોબરે જયનગરથી ઉપડશે અને ગુરુવારે સવારે ૦૫:૩૦ કલાકે પ્રતાપનગર પહોંચશે.

Tags :