ત્રણ વર્ષથી વોટર લોગીંગ સ્પોટ ઘટતા નથી, કયા રોડ ઉપર ખાડા કે ભુવા પડશે એનુ લિસ્ટ બનાવો, મ્યુનિ.કમિશનર
ખાડા કે ભુવા તાકીદે પુરવા મેનપાવર અને સામગ્રી તૈયાર રાખવા સુચના
અમદાવાદ, બુધવાર,11 જુન,2025
અમદાવાદમાં ત્રણ વર્ષથી વરસાદી પાણી ભરાવાના સ્થળ ઘટતા નથી.
શહેરના કયા-કયા રોડ ઉપર ખાડા કે ભુવા પડશે તેની તમને ખબર જ છે તો એનુ લિસ્ટ બનાવો
એવી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને તાકીદ કરી છે. ઉપરાંત ખાડા કે ભુવા પુરવા જરૃરી મેનપાવર અને સામગ્રી
તૈયાર કરવા કહયુ છે જેથી ઝડપથી કામગીરી કરી શકાય.
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કોર્પોરેશનના વિવિધ
વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી.બેઠકમાં તેમણે કહયુ, વરસાદી પાણી
ભરાવાના સ્પોટ ઉપર જો તમે કામગીરી કરતા જ હોવ તો ત્રણ વર્ષથી વોટર લોગીંગ સ્પોટની
સંખ્યા ૧૪૭ જ કયા કારણથી છે. ગયા વર્ષે અને તેના આગળના વર્ષે પણ વોટર લોગીંગ સ્પોટ
આટલા જ હતા.કેચપીટ સફાઈ ઉપરાંત સ્ટ્રોમ
વોટર લાઈનની સફાઈ કરાઈ હોય તો આ ચોમાસામાં કયાંય વરસાદી પાણી લાંબા સમય સુધી
ભરાયેલા રહેવા જોઈએ નહીં.અમદાવાદ પૂર્વના મોટા ભાગના વિસ્તારોને આવરી લેતી ખારીકટ
કેનાલના રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી
છે.ખારીકટ કેનાલમાં
પણ પાણી જવુ જ જોઈએ એમ તેમણે ભારપૂર્વક કહયુ હતુ. નોંધનીય છે કે, ૨૯ મેની વહેલી
સવારે પડેલા ભારે વરસાદ પછી પૂર્વના કેટલાક વિસ્તારમાં કલાકો સુધી વરસાદી પાણીનો
નિકાલ થઈ શકયો નહતો. ખારીકટ કેનાલની કામગીરી ઉપર અસર ના થાય એ માટે કેનાલમાં પાણી
જતુ અટકાવાયુ હતુ.