વીજ શટડાઉનના કારણે કારેલીબાગ ટાંકી વિસ્તારમાં આવતીકાલે પાણીનો કકળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Water Shotrage : વડોદરા શહેરના કારેલીબાગ ટાંકી ખાતેથી પાણી મેળવતા અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી પુરવઠા પર અસર જોવા મળશે. તા. 29-05-2026ના રોજ MGVCL દ્વારા કારેલીબાગ સબ ડિવિઝનમાં વીજ શટડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી કારેલીબાગ ટાંકી ખાતે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
વીજ પુરવઠો બંધ રહેતા ટાંકી ખાતેની પમ્પિંગ મશીનરી કાર્યરત રાખી શકાય તેમ નહીં હોવાથી પાણી વિતરણ વ્યવસ્થામાં ખલેલ પહોંચશે. જેના પગલે સવાર અને સાંજના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારોમાં પાણી વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે મળશે.
સવારના ઝોનમાં કલાકુંજ સોસાયટી, વૃંદાવન, કૃષ્ણલીલા સોસાયટી, આમ્રપાલી, મુખ્યમંત્રી આવાસ, ફતેપુરા, અમિતનગર, અજિતાનગર અને ભાવનાપાર્ક વિસ્તારમાં પાણી પુરવઠા પર અસર રહેશે.
તે જ રીતે સાંજના ઝોનમાં જ્યોતિપાર્ક, આનંદનગર, સુવિધાપાર્ક, બ્રાઈટર સ્કૂલ ખાંચો, દીપિકા સોસાયટી, અમિતનગર, શાંતિપાર્ક, અંબાલાલપાર્ક, આર્યકન્યા, રણછોડપાર્ક, સોનલપાર્ક, જયગાયત્રીનગર અને અયોધ્યાનગર વિસ્તારમાં પાણી ઓછા દબાણથી તથા વિલંબથી વિતરણ કરાશે.









