Get The App

૧૦.૫૫ ખર્ચે બનેલા નવા રેલવે સ્ટેશનમાં સામાન્ય વરસાદમાં પાણી ટપક્યું

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
૧૦.૫૫ ખર્ચે બનેલા નવા રેલવે સ્ટેશનમાં સામાન્ય વરસાદમાં પાણી ટપક્યું 1 - image


લીંબડીમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી

પ્લેટફોર્મ પર પાણી ફરી વળતા મુસાફરોને હાલાકી ઃ કોન્ટ્રાકટ દ્વારા કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રાવ

લીંબડીલીંબડીમાં સામાન્ય વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. ૧૦.૫૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરેલા લીંબડી રેલવે સ્ટેશનમાં ચોમાસા પહેલાં પડેલા માત્ર અડધા ઈંચ વરસાદમાં રેલવે સ્ટેશનની છતમાંથી પાણીના બબુડા થતાં રેલવે સ્ટેશનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલી છે.

અમૃત ભારત યોજના અંતર્ગત ૧૦.૫૫ કરોડના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરવાળા નવીનીકરણ કરેલા રેલ્વે સ્ટેશનનું તા.૨૨ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લીંબડી શહેરમાં ગત મોડી રાત્રે ચોમાસા પહેલા પડેલાં વરસાદમાં રેલવે સ્ટેશની છતમાંથી પાણી પડતા ભ્ર્રષ્ટાચાર છાપરે ચડીને ચાડી ખાતો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. તેમજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચારેય બાજુ પાણી ફરી વળતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી હતી. જેમા મુસાફરોએ રેલવેની છતમાંથી વરસાદી પાણી પડતાં દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ કરીને રેલવે સ્ટેશનમાં થયેલાં ભ્રષ્ટાચારની પોલ ખુલી થતાં ચકચાર મચી જવા પામ્યો હતો.

 

રેલવે તંત્ર દ્વારા નવીનીકરણ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી હશે તેને લઇ સ્થાનિક રહીશો તથાં મુસાફરોમાં ચર્ચાઓ વહેતી થઈ હતી. કોન્ટ્રાકટ દ્વારા રેલવેના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી રાવ ઉઠવા પામી હતી.૧૦.૫૫ ખર્ચે બનેલા નવા રેલવે સ્ટેશનમાં સામાન્ય વરસાદમાં પાણી ટપક્યું 2 - image

Tags :