Gujarat
કાલે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે
By GS TEAM
28 Jul 20251 min read

- નવી પાણીની ટાંકી સાથે લાઈન જોડવાની કામગીરી કરવાની હોવાથી
- કાળિયાબીડ, હિલડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગાસિટી વગેરે વિસ્તારમાં પાણી વિતરણ નહિં કરાય
ભાવનગર : ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં નવી પાણીની ટાંકી સાથે લાઈન જોડવાની હોવાથી આગામી મંગળવારે શહેરના કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાળિયાબીડની ટાંકી પાસે નવી બનાવવામાં આવેલ પાણીની ટાંકીની ચડતી અને ઉતરતી મેઇન લાઈનોને હયાત લાઈનો સાથે જોડાણ કરવાનું છે, તે પૈકી ચડતી લાઈનનું જોડાણ આગામી તા. ૨૯ જુલાઈ-૨૦૨૫ ને મંગળવારના રોજ કરવામાં આવશે તેથી કાળિયાબીડની જુની ટાંકીમાંથી આપવામાં આવતા સમગ્ર કાળીયાબીડ, હિલડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગાસિટી વિસ્તારનો પાણી સપ્લાય મંગળવારના રોજ બંધ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યુ હતું.
મહાપાલિકાની કામગીરીના વાંકે પાણી વિતરણ બંધ રહેવાનુ હોવાથી લોકોની મૂશ્કેલી વધશે તેમ જણાય રહ્યુ છે.








