Gujarat

નાતાલને પર્વને ધ્યાનમાં લઇ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા કેક સહિતના ખાદ્ય પદાર્થના 40 નમૂના લીધા

By GS TEAM
22 Dec 20251 min read
TukuTouch Logo
આગામી નાતાલના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશનના આરોગ્ય શાખાના ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના ફતેગંજ સહિત અનેક વિસ્તારમાં કેકના નમુના લેવામાં આવ્યા છે. ગત સપ્તાહથી ચાલુ થયેલ સમગ્ર અભિયાનમાં અત્યાર સુધી અંદાજે 40થી વધુ ખાદ્ય પદાર્થના નમુના દેવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાતાલને પર્વને ધ્યાનમાં લઇ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા કેક સહિતના ખાદ્ય પદાર્થના 40 નમૂના લીધા

Vadodara Food Safety : આગામી નાતાલના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશનના આરોગ્ય શાખાના ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના ફતેગંજ સહિત અનેક વિસ્તારમાં કેકના નમુના લેવામાં આવ્યા છે. ગત સપ્તાહથી ચાલુ થયેલ સમગ્ર અભિયાનમાં અત્યાર સુધી અંદાજે 40થી વધુ ખાદ્ય પદાર્થના નમુના દેવામાં આવ્યા છે.

નાતાલના પર્વ દરમિયાન કેકની માંગ વધી જતી હોવાના કારણે અને શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઇ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સુચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ વિવિધ ટીમ બનાવી ગત સપ્તાહથી કેક તેમજ ચોકલેટના સેમ્પલ લેવાના શરૂ કર્યા છે. ખાસ કરીને ફતેગંજ જેવા મેટ્રોપોલિટન વિસ્તારને સાંકળી લઈને શહેરમાં આવેલ વિવિધ કેક શોપ અને બેકરી ખાતેથી કેકના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ, અત્યાર સુધી અંદાજે 40 જેટલી કેક તથા ચોકલેટ અને તેના રોમટીરીયલના નમુના લેવામાં આવ્યા છે. આગામી નાતાલ પર્વ પૂર્ણ થયા બાદ પણ તારીખ 31 ડિસેમ્બર સુધી ફૂડ ઇન્સ્પેકટરો રોજ કેક તથા અન્ય સામગ્રીના નમૂના લેવાની કાર્યવાહી જારી રખાશે.