Get The App

માંડલમાં 6 ગામનું 'વિરાટ હિન્દુ સંમેલન' યોજાયું

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
માંડલમાં 6 ગામનું 'વિરાટ હિન્દુ સંમેલન' યોજાયું 1 - image

માંડલઃ હિન્દુ સમાજમાં નવી ઉર્જા અને સામાજિક સમરસતા લાવવાના હેતુથી માંડલના સ્વામીજી આશ્રમમાં માંડલ,વરમોર, વિંઝુવાડા, મીઠાપુર, સાદરા અને નવાગામ ગામનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. જેમાં યુવાનો અને ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. કાર્યક્રમમમાં મહામંડલેશ્વર રામેશ્વરદાસજી મહારાજ અને અન્ય સાધુ-મહંતોએ સનાતન ધર્મ અને સંસ્કૃતિના જતન માટે આહ્વાન કર્યું હતું. વક્તાઓએ બાળકોમાં ભારતીય સંસ્કારોનું સિંચન કરવા, પશ્ચિમી સંસ્કૃતિ ત્યાગવા અને સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો.