માંડલઃ હિન્દુ સમાજમાં નવી ઉર્જા અને સામાજિક સમરસતા લાવવાના હેતુથી માંડલના
સ્વામીજી આશ્રમમાં માંડલ,વરમોર, વિંઝુવાડા,
મીઠાપુર, સાદરા અને નવાગામ ગામનું વિરાટ
હિન્દુ સંમેલન યોજાયું હતું. જેમાં યુવાનો અને ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા
હતા. કાર્યક્રમમમાં મહામંડલેશ્વર રામેશ્વરદાસજી મહારાજ અને અન્ય સાધુ-મહંતોએ સનાતન
ધર્મ અને સંસ્કૃતિના જતન માટે આહ્વાન કર્યું હતું. વક્તાઓએ બાળકોમાં ભારતીય
સંસ્કારોનું સિંચન કરવા, પશ્ચિમી સંસ્કૃતિ ત્યાગવા અને
સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો.
માંડલમાં 6 ગામનું 'વિરાટ હિન્દુ સંમેલન' યોજાયું


