Get The App

અવગણના બાદ આમંત્રણથી નારાજ વિક્રમ ઠાકોરની ગૃહમાં ગેરહાજરી, વિવાદ સિવાય હાજર રહેવા સરકારની વિનંતી

Updated: Mar 27th, 2025

GS TEAM


Google News
Google News
અવગણના બાદ આમંત્રણથી નારાજ વિક્રમ ઠાકોરની ગૃહમાં ગેરહાજરી, વિવાદ સિવાય હાજર રહેવા સરકારની વિનંતી 1 - image


Vikram Thakor News: થોડા દિવસો અગાઉ વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ વિક્રમ ઠાકોર સહિત 1000થી વધુ કલાકારોને ગૃહ કાર્યવાહી નિહાળવા આમંત્રિત કરાયા છે, ત્યારે બુધવારે 15 જેટલા કલાકારોએ હાજરી આપી હતી. પરંતુ વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા, ત્યારે આજે (ગુરુવારે) વિક્રમ ઠાકોર આવશે કે કેમ તે મુદ્દે સસ્પેન્સ યથાવત્ છે. 

આમંત્રણ વિવાદ વચ્ચે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કહ્યું હતું કે 'વિક્રમભાઈને વિનંતી છે કે વિવાદ સિવાય વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા અંતિમ દિવસે હાજરી આપે. પ્રેક્ષક દીર્ધામાં બેસી સમગ્ર કાર્યવાહી નિહાળી શકે છે અને લોકશાહીની સમજણ માટે આમંત્રણ આપ્યું હતું. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શંકર ચૌધરીનું સૂચન હતું કે લોકશાહીની સમજણના ઉમદા આશયથી આમંત્રણ પાઠવવામાં આવે. તો અમારી ઇચ્છા છે કે ગુરુવારે (આજે) અંતિમ દિવસે વિવાદ સિવાય હાજરી આપે.  

કલાકારો માટે સરકારે પાથરી લાલજાજમ 

આજે વિશ્વ રંગમંચ દિવસ છે ત્યારે 1000થી વધુ કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા વિધાનસભા ગૃહમાં આપવામાં આવ્યું છે. આમંત્રણ છતાં વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ હોય એવું લાગી રહ્યું છે. આજે (ગુરુવારે) અંતિમ દિવસે વિક્રમ ઠાકોર હાજરી આપશે કે કેમ તે મુદ્દો સસ્પેન્સ યથાવત્ છે. કલાકારો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બુધવારે 15થી વધુ કલાકારોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી. ત્યારે આજે અંતિમ દિવસે કયા કલાકારો આવે છે તે મહત્ત્વનું છે. 

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી

હિતુ કનોડિયાએ શું કહ્યું

વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં હાજરીને લઈને બુધવારે હિતુ કનોડિયાએ જણાવ્યું છે કે વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વિક્રમ ઠાકોરે કન્ફર્મ નથી કર્યું કે આવશે કે નહીં આવે. બધા જ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે કલાકારો શૂટિંગમાં વ્યસ્ત છે તે આવી શકશે નહીં. 

જે કલાકારોનું કન્ફોર્મેશન હશે, અત્યારે તે કલાકારોનું લિસ્ટમાં નામ હશે. આમંત્રિત તો હજાર કલાકારને કર્યા છે. આવવાના છે અને જેમને કન્ફોર્મ કર્યું છે તેમનું લિસ્ટમાં નામ છે. વિક્રમ ઠાકોરે કન્ફોર્મેશન આપ્યું નથી, પરંતુ તેમને ચોક્ક્સ આમંત્રિત કરવામાં આવ્યા છે. 27 માર્ચ (આજે) માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે. પરંતુ તેમના કન્ફોર્મેશનની રાહ જોવાઈ રહી છે. 

શું હતો સમગ્ર મામલો?

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતાં અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે કહ્યું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા....'


Tags :