Get The App

Ahmedabad Plane Crash: જો વિજય રૂપાણી વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે હયાત હોત!

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
Ahmedabad Plane Crash: જો વિજય રૂપાણી વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે હયાત હોત! 1 - image


Ahmedabad London plane Crash: હાલમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે. પેટા ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ હતું. તેઓ વિસાવદર બેઠક પર પ્રચાર માટે પણ આવવાના હતા પરંતુ તેઓને વિદેશ જવાનું થતા તેમનો ચૂંટણી કાર્યક્રમ રદ કર્યો હતો. જો તેઓ વિસાવદર પ્રચારમાં ગયા હોત તો કદાચ આજે તે હયાત હોત!

ગુજરાતમાં હાલ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો હતો. આ પ્રચારમાં પ્રદેશ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અનેક નેતાઓના નામ હતા તેની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ સ્ટાર પ્રચારકમાં નામ હતું. વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર માટે વિસાવદર જવાનાના હતા. કેમ કે, વિસાવદર વિધાનસભા વિસ્તારના ચણાકા તેમનું પૈતૃક ગામ છે. ચણાકા સાથે તેમનો ખુબ જૂનો નાતો છે. ત્યાં તેમના માતાજી અને સુરાપુરા બાપાનું મંદિર છે. 

આ પણ વાંચો: કેવો સંયોગ:વિજય રૂપાણીનો 'લકી નંબર' 1206 બન્યો તેમનો અંતિમ દિવસ

તેઓ અવાર-નવાર પરિવાર સાથે દર્શનાર્થે પણ જતા હતા. જેના લીધે આ વિસ્તારના લોકો સાથે તેમનો અતુટ નાતો હતો. આ બાબતને ધ્યાને રાખી ભાજપ દ્વારા વિજય રૂપાણીને વિસાવદરમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવાનું આયોજન હતું પરંતુ વિજયભાઈને અચાનક વિદેશ જવાનું થયું હોવાથી તેઓનો વિસાવદર ચૂંટણી પ્રચાર બંધ રહ્યો હતો.

જો ગુરૂવારે વિજયભાઈ વિસાવદરમાં ચૂંટણી પ્રચારમાં આવ્યા હોત તો કદાચ તેઓ હજુ હયાત હોત પરંતુ કુદરતે કાં અબગ જ ધાર્યું હોય તે રીતે તેમને વિદેશ ગમન જવાનું થયું અને તેઓ પ્લેનમાં રવાના થયા હતા. તેવામાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની અને જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Tags :