- તહેવારો ટાણે જ જિલ્લાની જનતાને હાલાકી
- દૂધની ડેરીનો પુલ પણ બંધ કરવાથી સર્જાઈ નોબતઃ ટ્રાફિક પોલીસ સમયસર હાજર ન રહેતા લોકો અટવાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં તહેવાર સમયે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ત્રસ્ત બની ગઈ છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પસાર થતો રાજકોટ બાયપાસ રોડ બે કલાક સુધી વાહનો ફસાઈ જતા ચક્કાજામ સર્જાયો હતો. ગણપતિ ફાટસર વિસ્તારમાં રાજકોટ બાયપાસ રોડ પર ટ્રાફિક પોલીસ સમયસર હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાવું પડયું છે.
તહેવાર સમયે જ હાલમાં ચોટીલા જતા તમામ વાહનો અને ફોરવીલ કાર ડમ્પરો મોટરસાયકલો ત્યાંથી પસાર થતા હોય છે પરંતુ સમયસર ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસના જવાનો હાજર ન રહેતા હોવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહી જવા પામ્યો હતો અને કલાકો સુધી વાહન ચાલકો ફસાઈ જવા પામ્યા હતા જોકે આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી અને ત્યારબાદ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક જવાનો પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.પરંતુ તહેવાર સમયે જ બે કલાક સુધી વાહન ચાલકોને ટ્રાફિક ઉપર ફસાવું રહેવું પડે તે કપરી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી આ સંદર્ભે પોલીસ કર્મચારી યુવરાજસિંહ ખવડ સહિતના ટ્રાફિક પોલીસ કર્મચારી સમયસર હાજર ન રહેતા હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે અધિકારીનો સંપર્ક કરવામાંવ્યા બાદ પોલીસ પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ તહેવાર સમયે શરૂ કરવામાં આવ્યું હતો.


