લવ-જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગ, વિરોધમાં આજે દહાણું સજ્જડ બંધ, પાંચ હિન્દુ યુવતીને ફસાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News: વલસાડ જીલ્લા બાદ છેવાડાના ઉમરગામ નજીકના મહારાષ્ટ્ર રાજ્યના બોરડી, પાલઘર અને દહાણું વિસ્તારમાં લવ જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગનું નેટવર્ક બહાર આવ્યું છે. આ વિસ્તારની પાંચ હિન્દુ-જૈન દીકરીને ફસાવ્યાની ઘટનાને પગલે હિન્દુ સમાજમાં રોષનો ચરૂ ઉકળ્યો છે. આ પ્રકારના ગંભીર કૃત્યને લઈ હિન્દુ સંગઠને આજે મહારાષ્ટ્રના દહાણું બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ધમધમતી બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો.
વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા
હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરાવી વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા વલસાડ જીલ્લામાં પ્રકાશમાં આવતા હિન્દુ સમાજમાં ભારે રોષનો ચરૂ ઉકળ્યો છે. આ પ્રકારના ગંભીર કૃત્ય અંગે વલસાડ જીલ્લાના હિન્દુ સંગઠનના આગેવાનોએ જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી વુમન ટ્રાફિકિંગના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માગ કરી હતી.

બંધના એલાનને બહોળો પ્રતિસાદ
દરમિયાન જીલ્લાના છેવાડાના ઉમરગામ નજીકના મહારાષ્ટ્રના બોરડી, ઘોલવડ અને દહાણું વિસ્તારમાં પણ આ પ્રકારના કિસ્સા બહાર આવ્યા છે જેમાં હિન્દુ અને જૈન સમાજની પાંચ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા કરી વિદેશ મોકલી દીધી હતી. આ પ્રકારના ગંભીર નેટવર્કના વિરોધમાં આજે બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો દ્વારા દહાણુ સહિત બોરડી-ઘોલવડ-સામટા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તમામ બજારો બંધ રાખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સંજાણ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં એક સુઆયોજિત ષડયંત્ર
વલસાડના ઉમરગામ તાલુકાના, ખાસ કરીને સંજાણ તેમજ આસપાસના વિસ્તારોમાં હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી, તેમનું ધર્માંતરણ કરાવી વિદેશ ભગાડી જવાના કિસ્સા સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 8 જૂનના રોજ સમસ્ત હિંદુ-જૈન સમાજ દ્વારા લવ જેહાદ મામલે આપવામાં આવેલા આવેદનપત્ર મુજબ ઉમરગામ તાલુકાના સંજાણ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં એક સુઆયોજિત ષડયંત્ર હેઠળ હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને લક્ષ્ય બનાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ધર્માંતરણ અને લગ્ન સંબંધિત કાયદાઓ ખૂબ જ કડક હોવાના કારણે, આરોપીઓ પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર વિસ્તાર અથવા ધોલવડ ગામનો આશરો લઈ લગ્ન કરી લે છે.
રાતોરાત વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા
આવેદનમાં તાજેતરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે, સંજાણ પંથકની દીકરીઓ માટે રાતોરાત વિઝા અને પાસપોર્ટની વ્યવસ્થા કરાવી તેમને લંડન મોકલી દેવાની અને ત્યાં નિકાહ/લગ્ન કરાવી લેવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ ઘટનામાં દીકરી પાસે તેના જ ઘરેથી પૈસા અને દાગીનાની ચોરી પણ કરાવવામાં આવી હતી.








