વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોરણે ફેરફાર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના છેવાડે કલાલી ટાંકીથી સાંજે પાણી મેળવતા વિસ્તારોના સમયમાં પ્રાયોગિક ધોરણે વિતરણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાયલ દરમિયાન કરાયેલા ફેરફાર બાદ કાયમી ધોરણે આ ફેરફાર અમલમાં મુકાશે. આવતીકાલથી તા.11 સુધી સતત બે દિવસ સમયમાં ટ્રાયલ બાદ ફેરફાર કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા હસ્તકની કલાલી ટાંકી ખાતેથી સાંજે 7.30થી આરતી 8.30 અને રાત્રે 9થી 10 વાગ્યાના સમય ગાળામાં પાણી મેળવતા વિસ્તારોમાં અને નવા વિસ્તારોમાં આવતીકાલ તા.9થી તા.11 ત્રણ દિવસ સુધી પ્રાયોગિક ધોરણે પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન જોનીંગ સમય ફેરફાર સફળ થાય તો પાણી વિતરણના સમયમાં કાયમી ધોરણે ફેરફાર કરવામાં આવશે.
જેમાં નવા ઝોનના સમયમાં સવારે 10થી 11 વાગ્યા સુધીમાં બિલ કેનાલ રોડ તેમજ તેની આસપાસની તમામ સોસાયટી વિસ્તાર, શ્રી હરિ રેસીડેન્સી, આર્યા ઈલાઈટ, વાત્સલ્ય વાટિકા, આવધ ઉપવન સોસાયટી તેવી જ રીતે નવા ઝોનમાં સાંજે 6 થી 7 વાગ્યા સુધી કલાલી ગામ, ચાણક્ય નગરી, વિક્ટોરિયા ગ્લોરી, તેમજ આસપાસની તમામ સોસાયટીના વિસ્તારો. ઉપરાંત નવીન ઝોન નો સમય સાંજે 8થી 9 વાગ્યા સુધી રામનગર, ગોકુળ નગર, સર્વોદય નગર સહિત આસપાસના તમામ નગરો અને નવીન ઝોનનો સમય રાત્રે 9.30 થી 10.30 વાગ્યા સુધી બીએસયુપીના આવાસો, કલાલી ટ્રાન્સફર કંપનીની સામે સહિતના વિસ્તારોમાં પ્રાયોગિક ધોરણે આવતીકાલથી ત્રણ દિવસ પાણી વિતરણ સમયમાં ફેરફાર કરાશે. આ ટ્રાયલ દરમિયાન ઝોનિંગ સમયના ફેરફારમાં સફળતા મળ્યા બાદ કાયમી ધોરણે પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.









