Gujarat

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત

By GS TEAM
11 Apr 20261 min read
TukuTouch Logo
નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના માર્ગદર્શન હેઠળ વિદ્યુત વિભાગ દ્વારા કુલ 2.722 મેગાવૉટ પીક (MWp) ક્ષમતાના રૂફટૉપ સોલર પ્લાન્ટ સ્થાપિત કરાતા વિભાગને દર વર્ષે અંદાજે રૂ.2.92 કરોડની બચત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત

Vadodara : નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના માર્ગદર્શન હેઠળ વિદ્યુત વિભાગ દ્વારા કુલ 2.722 મેગાવૉટ પીક (MWp) ક્ષમતાના રૂફટૉપ સોલર પ્લાન્ટ સ્થાપિત કરાતા વિભાગને દર વર્ષે અંદાજે રૂ.2.92 કરોડની બચત થશે.

વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર (પાવર) પ્રદીપ મીણાએ જણાવ્યું કે, દર વર્ષે આશરે 3.64 મિલિયન યુનિટ સૌર ઊર્જાનું ઉત્પાદન થશે. સ્ટાન્ડર્ડ ગ્રિડ ઉત્સર્જન પ્રમાણ અનુસાર દર વર્ષે આશરે 2,632 ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જ્યારે 25 વર્ષના અંદાજિત આયુષ્ય દરમિયાન કુલ 65,800 ટન CO₂ ઉત્સર્જન ટાળી શકાશે.

વિદ્યુત વિભાગ (પાવર) દ્વારા રેલવે સ્ટેશનો, સેવા ભવનો અને વિવિધ પરિસરોની છત પર સોલર પ્લાન્ટ સ્થાપિત કરીને પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવામાં આવી રહી છે. 

વડોદરા સ્ટેશન પર રનિંગ રૂમ, TTE રેસ્ટ રૂમ, રિટાયરિંગ રૂમ, RRI, લૉબી અને કાર્યાલય ભવનોની છતનો ઉપયોગ કરીને સૌર ઊર્જા ઉત્પાદન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત વિદ્યુત લોકો શેડ, અંકલેશ્વર સ્ટેશન સહિત અન્ય સ્થળોએ પણ ઉપલબ્ધ માળખાગત સુવિધાનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે.