Gujarat

વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન

By GS TEAM
22 Mar 20261 min read
TukuTouch Logo
વોર્ડ નંબર 1માં આવેલ નવાયાર્ડના કેટલાક વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: નવાયાર્ડમાં બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, રહીશો પરેશાન

વોર્ડ નંબર 1માં આવેલ નવાયાર્ડના કેટલાક વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

રામેશ્વરની ચાલી, નવી રામવાડી, સરસ્વતીનગર અને ગોવર્ધન વિભાગ-૨ માં રહેતા આશરે ૫૦૦ પરિવારોને અપૂરતા અને અશુદ્ધ પાણીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છ

રહીશોના જણાવ્યા મુજબ, નળમાં આવતું પાણી ડહોળું અને દુર્ગંધયુક્ત હોય છે, જેના કારણે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. આ પાણીના ઉપયોગથી વિસ્તારમાં બીમારીઓ ફેલાવાનો ભય વધ્યો છે અને અનેક લોકો આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોએ અનેક વખત જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસના પૂર્વ મહિલા કાઉન્સિલર સ્થળ પર પહોંચીને રહીશોની સમસ્યાઓ સાંભળી હતી. અને મ્યુનિ. કોર્પોરેશનને તાત્કાલિક શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય કરવાની માગ કરી છે.