અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મદદ માટે વડોદરા ફાયર બ્રિગેડના 25 ફાયર ટેન્ડર્સ અને 200 કર્મચારી રવાના
Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ખોફનાક દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી છે.
242 મુસાફરોને લઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરે ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે દુર્ઘટનાગ્રસ્ત થતાં અનેક મુસાફરોના મોતની આશંકા સેવાઈ રહી છે.
આ દુર્ઘટનામાં મદદરૂપ થવા માટે વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે. જેથી વડોદરા ફાયર બ્રિગેડના તમામ સાધનોથી સજ્જ 25 ફાયર ટેન્ડર્સ અને 200 જેટલા જવાનો તેમજ અધિકારીઓને અમદાવાદ રવાના કરી દેવામાં આવ્યા છે.