Get The App

વડોદરા: કોરોનામાં બંધ થયેલી ટ્રેનો પુનઃ શરૂ કરવા માગણી

Updated: Mar 2nd, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: કોરોનામાં બંધ થયેલી ટ્રેનો પુનઃ શરૂ કરવા માગણી 1 - image

વડોદરા, તા. 02

વડોદરા સહિત રાજ્યમાં કોરોના કેસ વધતા ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ખાસ કરીને લોકલ તથા રાબેતા મુજબની ટ્રેનો લોકડાઉન બાદ શરૂ ન કરવામાં ન આવતા મુસાફરો પ્રાઇવેટ તેમજ બસમાં જવા મજબુર બન્યા છે. તેમની લાગણી અને માગણીને ધ્યાનમાં લઇ આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

કોરોનાના કેસ વધતા જતા રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું.બસ અને ટ્રેનના મોટાભાગના રૂટ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગે લોકલ ટ્રેન તથા અન્ય રાબેતા મુજબની ટ્રેનો આજદિન સુધી શરૂ કરવામાં ન આવતા મુસાફરો પ્રાઇવેટ સાધનો તેમજ બસમાં જવા મજબુર બન્યા છે.તો તાત્કાલિક આ રૂટની ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ બાબતે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કલેકટરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતીકે, કોરોનાના કેસોમાં ઘટાડા સાથે જનજીવન થાળે પડી રહ્યું છે. હાલ કેટલીક ટ્રેનો બંધ રહેતા મધ્યમ વર્ગ તથા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તેમની જરૂરિયાતને ધ્યાનમાં લઇ વહેલી તકે ટ્રેનો શરૂ કરવામાં આવે.