વડોદરા કોર્પોરેશન બે વર્ષમાં ૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરશે
શહેરનું હરિત આવરણ વધારીને ૩૦ ટકા કરાશે ટ્રીટ કરેલું પાણી વૃક્ષોના સિંચનમાં વપરાશે
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશન તા.૫ જૂન વિશ્વ પર્યાવરણ દિનથી ઝુંબેશ સ્વરૃપે વૃક્ષારોપણ શરૃ કરશે. આગામી બે વર્ષમાં ૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરશે.
કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષના કહેવા મુજબ હાલમાં વડોદરા શહેરમાં કૂલ જમીની વિસ્તારના ૧૭% ભાગમાં ગ્રીન કવર છે જે વધારી આગામી સમયમાં ૩૦% કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે.
'એક પેડ માં કે નામ' મુહિમ જન આંદોલન બને અને શહેરનો તમામ નાગરિક આ કાર્યમાં જોડાઈ સોસાયટીના કોમન પ્લોટમાં અને ગ્રીન બેલ્ટના પ્લોટમાં વધુમાં વધુ વૃક્ષોનું વેવાતર અને જતન કરે અને યોગદાન આપે, તેના પર ભાર મૂક્યો હતો. 'એક પેડ માં કે નામ' 'મિશન ૨.૦' અંતર્ગત વેબ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના લોકો પોતાની જરૃરીાત મુજબ રોપા-છોડવાઓની માંગણી કરી શકશે. શહેરના વિવિધ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલું પાણી વૃક્ષોને સિંચન કરવામાં વપરાશે. આગામી સમયમાં વૃક્ષોની ગણતરી હાથ ધરાશે, એમ તેમણે કહ્યું હતું.