વડોદરા, તા. 02
છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતે લારીધારકો અને દુકાનદારોના દબાણના પગલે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ત્યારે પોલીસને કામગીરીના પગલે નારાજ લારીધારકોએ મેંયરને રજૂઆત કરી હતી.
લારી ધારકોએ જણાવ્યું હતું કે, માર્કેટ ફરતે 40થી વધુ લારીઓ આવેલી છે .ટ્રાફિક પોલીસ દ્વારા લારી નહીં મુકવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી અમે મેયરને રજૂઆત કરવા પહોંચ્યા છે. ટ્રાફિકની સમસ્યા માટે લારી ધારકો નહીં પરંતુ ભારદારી વાહનો જવાબદાર છે. તો બીજી તરફ મેંયરે જણાવ્યું હતું કે, માર્કેટ આસપાસ લારી ગલ્લાના વેપારીઓ દ્વારા રસ્તા ઉપર લારીઓ મૂકવામાં આવે છે. આગામી દિવસોમાં કોર્પોરેશન અને પોલીસ સ્થળ નિરીક્ષણ બાદ જરૂરી કામગીરી કરશે.


