અમદાવાદ, તા. 04 ફેબ્રુઆરી 2022 શુક્રવાર
મુકેશ ઠાકોરના દુઃખની કોઈ સીમા ન હતી. તેણે હમણાં જ તેના 18 મહિનાના પુત્ર શૈલેષના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેણે વિચાર્યુ કે બાળકનું આકસ્મિક મૃત્યુ થયું છે, જ્યારે તેના ચાર વર્ષના પુત્રએ તેને એવુ કંઈક કહ્યું જેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. રુત્વિકે તેના પિતાને કહ્યું કે તેમની દાદીએ તેને અને તેના નાના ભાઈને માર માર્યો હતો, પછી બાળકને દિવાલ અને ફ્લોર પર પછાડ્યો હતો.
ખેડબ્રહ્માના રહેવાસીએ તેની માતા ચંદ્રિકા ઉર્ફે શર્મી રાવલ સામે ફરિયાદ નોંધાવી, જેની હત્યા અને હુમલાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેણે પોલીસને જણાવ્યું કે તેની માતા, જે બાળકોને સાચવવા માંગતી ન હતી, તેણે બાળકો પર હુમલો કર્યો અને શૈલેષની હત્યા કરી.
30 વર્ષની પત્ની કોડાવરી તેને છોડીને ચાલી ગઈ હતી અને વાઘેશ્વરીમાં તેના માતા-પિતા સાથે રહેતી હતી. મુકેશ ઠાકોરે અગાઉ તેના બાળકોને તેની માતા પાસે છોડી દીધા હોવાથી જ્યારે તેને કોઈ કામ માટે રાજસ્થાન જવાનું હતું ત્યારે તેણે તેને ફરીથી બાળકોને સાચવવાનું કહ્યું.
મુકેશ ઠાકોરે પોલીસને જણાવ્યું હતું કે 24 જાન્યુઆરીએ તેણે મને જાણ કરી હતી કે શૈલેષ બીમાર પડ્યો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે મારા પુત્રનું મૃત્યુ થયું છે અને તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં છે. મારા મોટા પુત્ર રુત્વિકના ચહેરા પર ઈજાઓ હતી અને એવું લાગતું હતું કે કોઈએ તેને માર્યો છે.
જ્યારે મે મારી બહેન રેખાને પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે મારી માતાએ તેને જાણ કરી હતી કે બંને બાળકો રાત્રે સૂતા પહેલા બહાર રમતા હતા. બાદમાં સવારે મારી માતાએ કહ્યું કે તેણે શૈલેષના મોંઢામાંથી કંઈક નીકળતુ જોયું અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો.
પોસ્ટમોર્ટમ બાદ તબીબોએ મુકેશ ઠાકોરને જાણ કરી હતી કે તેમના પુત્રનું માથામાં કંઈક વાગવાથી મૃત્યુ થયુ છે. અમે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો અને મારી માતા કાલાખેતમાં તેના માતાપિતાના ઘરે ગઈ.
દાદીની મંગળવારે આઈપીસીની કલમ 302 (હત્યા) અને કલમ 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
અંતિમ સંસ્કારના ત્રણ દિવસ બાદ તેણે તેના પડોશીઓને પૂછ્યું કે 23 જાન્યુઆરીની રાત્રે શું થયું હતું. તેઓએ મને કહ્યું કે તેઓએ બંને બાળકોને રડતા સાંભળ્યા હતા. તેઓએ એમ પણ કહ્યું કે તેઓને એવા અવાજો સંભળાતા હતા જાણે કે બંનેને માર મારવામાં આવી રહ્યો હોય. જ્યારે મેં રુત્વિકને પૂછ્યું કે શું થયું, તો તેણે મને કહ્યું કે તેમની દાદીએ તેમને માર માર્યો હતો. તેણે કહ્યું કે તેણીએ શૈલેષને દિવાલ અને ફ્લોર પર પછાડ્યો હતો.
કેસની તપાસ કરી રહેલા પીએસઆઈએ જણાવ્યું કે, અમને જણાવવામાં આવ્યું હતું કે બાળકનું પડી જવાથી થયેલા આઘાતને કારણે મૃત્યુ થયું હતું. જોકે, મોટા ભાઈ પર થયેલી ઈજાઓથી અમને શંકા ગઈ હતી. બાદમાં તેણે જાહેર કર્યું કે ખરેખર શું બન્યું હતું, જેના કારણે અમે તેની દાદીની ધરપકડ કરી હતી.


