Get The App

અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા પાણી લાલ થયું 1 - image


- લખતર તાલુકાના સરધારા ડેમમાં

- સિંચાઇમાં પાણીનો ઉપયોગ કરતા પાક બળી ગયો: કેમિકલ ઠાલવરનાર સામે કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ

સુરેન્દ્રનગર : લખતરના સરધરા ડેમમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ નાંખવામાં આવતાં પાણી લાલ થઇ ગયું છે. સિંચાઇમાં પાણીનો ઉપયોગ કરતા ખેતરમાં પાક બળી ગયો છે. ખેડૂતોએ મામલતદારને આવેદપત્ર પાઠવી કેમિકલ ઠાલવરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

લખતર તાલુકામાં ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે. ઉદ્યોગ વધતા અમુક કંપનીમાંથી નિકળતું દૂષિત પાણી તેમજ કેમિકલયુક્ત પાણી સરઘરા ડેમમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તાજેતરમાં સરધરા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહી સરધરા ડેમની પાળ તોડી ગેકકાયદેસર રીતે ખેતરમાંથી માટીનું ખનન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને કારણે મોટો ખાડો પડી ગયો છે. પાણી ભરેલા ખાડામાં કેમિકલ નાંખવામાં આવતા ખાડાનું પાણી લાલ થઈ ગયું છે. ખાડામાંથી ખેડૂતોએ સિંચાઈ માટે પાકને પાણી આપતા પાક પણ બળી ગયો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. સરધરા ડેમમાંથી પાણીનો ઉપયોગ કરતા તલવણી, ઝમર અને લખતર ગામના ખેડૂતો સહિત આગેવાનોએ આ મામલે લખતર મામલતદારને આવેદન પત્ર પાઠવી તાત્કાલીક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આગામી સાત દિવસમાં આ અંગે યોગ્ય ઉકેલ નહીંં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.


Tags :