Gujarat

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા

By GS TEAM
6 Mar 20262 mins read
TukuTouch Logo
ફસાયેલા માછીમારોને હેમખેમ પરત લાવવા સરકારને અપીલ કરી છે. ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઈ રહી છે

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા

 AI IMAGE



Iran War : ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના 25 થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાતા મુશ્કેલીમાં મુકાયા છે. પરિવારજનો સાથે છેલ્લા પાંચ-છ દિવસથી સંપર્ક નહીં થતા ચિંતા મુકાયા છે. પરિવારે ઈરાન માછીમારી કરવા ગયેલા લોકોને હેમખેમ ભારત પરત લાવવા સરકારને સહયોગ કરવા અપીલ કરી છે.

માછીમારોનો છ દિવસથી સંપર્ક નહીં થતા પરિવારજનો ચિંતામાં મુકાયા

ફસાયેલા માછીમારોને હેમખેમ પરત લાવવા સરકારને અપીલ કરી છે. ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઈ રહી છે કારણ કે આ ગામના 25 થી વધુ લોકો માછીમારી કરવા ઈરાનના કિસ્ટ ટાપુ પર ગયા હતા. જો કે યુદ્ધના માહોલ વચ્ચે પરિવારજનોનો છેલ્લા પાંચ-છ દિવસથી સંપર્ક તુટી ગયો છે. સ્વજનોની કોઈ માહિતી નહીં મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. મરોલી ગામે રહેતા પરિવારની મહિલાઓએ જણાવ્યું કે ઈરાનમાં યુદ્ધના માહોલને કારણે અમારી ચિંતા વધી ગઈ છે.

કિસ્ટ ટાપુ પર હતા તમામ સભ્યો

માછીમારી કરવા ગયેલા પરિવારના સભ્ય સાથે હાલમાં કોઈ સંપર્ક થતો નથી. માછીમારો યુદ્ધને કારણે કિસ્ટ ટાપુથી અન્યત્ર દરિયામાં જીવ બચાવવા જતા રહ્યા છે. ઈરાનમાં ફસાયેલા પરિવારના સભ્યોને હેમખેમ ભારત લાવવા સરકાર પાસે મદદની માંગ કરી છે. ગામના આગેવાનો દ્વારા ઈરાનમાં ફસાયેલા માછીમારોને પરત લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.