Gujarat
જામનગરમાં ગુરુદ્વારા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાનો પર જૂની અદાવત ના મન દુઃખમાં હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ
By GS TEAM
26 Oct 20251 min read
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન જૂની અદાવતની તકરારના મનદુઃખ ના કારણે સાહિદ ફિરોજભાઈ ખીરા તથા તેના બે સાગરીતોએ ત્રિપલ સવારી બાઈકમાં આવીને લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો, જે હુમલામાં બંને યુવાનો ઘાયલ થયા હોવાથી તેઓને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે.
ફરિયાદી યુવાનના ભાઈને આરોપી સાથે આજથી બે વર્ષ પહેલા તકરાર થઈ હતી, જેનો ખાર રાખીને આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.









