સોજીત્રાના દેવા તળપદ ગામના મકાનના દાદરા ધરાશાયી થતા બે મહિલાના મોત

- આણંદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે
- પડોશમાં રહેતી મહિલાઓ દાદર પર બેસી વાતો કરતી હતી : આરસીસીના દાદરના કાટમાળ નીચે દબાઈ જતા મૃત્યુ
ગતરોજ વરસાદી માહોલ વચ્ચે સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામના લક્ષ્મીપુરા ખાતે આવેલા ભરતભાઈ મેલાભાઈ ગોહેલના મકાન નજીક તેમના પત્ની મંજુલાબેન ગોહેલ અને પાડોશી ગીતાબેન પ્રભાતભાઈ ગોહેલ (ઉં.વ.૫૫) બેઠા વાતો કરતા હતા. અચાનક મકાનની બાજુમાં આવેલા આરસીસીના દાદરા ધરાસયી થઈ ગયા હતા. બંને મહિલાઓ દાદરના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જેને લઇ આસપાસમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે બંને મહિલાઓનું કાટમાળ નીચે દબાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ સોજીત્રા પોલીસને થતા પોલીસની ટીમ તથા ગામના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે બંને મહિલાઓના મૃતદેહનો કબજો મેળવી અપમૃત્યુની નોંધ નોંધી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.









