Get The App

બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત 1 - image
File Photo

Banaskantha News: ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે નદી-નાળા છલકાયા છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ચીકણ વાસમાં એક દુઃખદ ઘટના બની છે. આ વિસ્તારમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતા એક જ પરિવારની બે સગી બહેનોના મોત થયા છે. વરસાદને લઈને ખાડામાં પાણી ભરાયેલા હતા. જણાવી દઈએ કે, સમયાંતરે આવી દુર્ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પરિવાર દ્વારા બાળકોને આ અંગે સાવચેત કરવા જરૂરી છે. જેને લઈને કોઈ દુર્ઘટના ટળી શકે.

સોમવારે જામનગરના ધ્રોલમાં ખાડામાં પડી જતાં 3 બાળકો ડૂબ્યા હતા

સોમવારે (28 જુલાઈ) જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ ખાતે ખેત મજૂરની 2 દીકરી અને 1 દીકરો રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા. મૃતક બાળકોના મૃતદેહને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.