શહેરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયાઃ હાલ 8 એક્ટિવ કેસ
- શહેર-જિલ્લામાં 12 દિવસમાં 13 કેસ નોંધાયા
- તરસમિયા રોડમાં રહેતી મહિલા,સુભાષનગરમાં રહેતા વૃધ્ધ બિમારીમાં સપડાયા : સામાપક્ષે વધુ બે દર્દી કોરોનામુક્ત થયા
ભાવનગર મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના તરસમિયા રોડ વિસ્તારમાં રહેતા ર૯ વર્ષના મહિલા અને સુભાષનગર વિસ્તારમાં રહેતા ૬પ વર્ષના વૃદ્ધની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રખાયા છે. બીજી તરફ, સારવારમાં રહેલાં વધુ બે દર્દી આજે કોરોનામુક્ત થયા હતા. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧ર દિવસમાં કોરોનાના કુલ ૧૩ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૧ર કેસનો સમાવેશ થાય છે.જયારે, સામાપક્ષે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪ દર્દી કોરોનામુક્ત થયા છે, જયારે કોરોનાના ૮ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે.