અંકલેશ્વરમાં સીસાની ચોરીમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, રૂ.2.43 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch Crime : અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી સીસાની ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપીઓને ઝડપી પાડી રૂ. 2.43 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંકલેશ્વર મામલતદાર કચેરીમાં જીએસટી દ્વારા જપ્ત કરેલ ટ્રકમાં ભરેલ સીસાનો જથ્થો ચોરી થવા મામલે તા.18 જૂનના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી અન્ય બે આરોપીઓ સુનિલ પિનાકીયા (રહે-કાપોદ્રા પાટિયા જીઆઇડીસી, અંકલેશ્વર/મૂળ રહે-રાજસ્થાન) અને નિશાર અહેમદ ખાન(રહે-કાપોદ્રા ગામ)ને ઝડપી પાડવામાં પોલીસની સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2,43,250ની કિંમતનું 1390 કિગ્રા સીસુ (જસત) કબ્જે કર્યું હતું.









