Gujarat

વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દનાક મોત

By GS TEAM
25 May 20261 min read
TukuTouch Logo
ઉનાળાની ઋતુમાં અને વેકેશનના માહોલ વચ્ચે નદી-તળાવ કે ડેમમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના માંગરોળમાં બે સગા સગીર ભાઈઓના તળાવમાં ડૂબ જવાથી મોત નીપજ્યા છે. દાદા સાથે માછીમારી કરવા જતાં દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દનાક મોત
પ્રતિકાત્મક તસવીર

Surat News: ઉનાળાની ઋતુમાં અને વેકેશનના માહોલ વચ્ચે નદી-તળાવ કે ડેમમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના માંગરોળમાં બે સગા સગીર ભાઈઓના તળાવમાં ડૂબ જવાથી મોત નીપજ્યા છે. દાદા સાથે માછીમારી કરવા જતાં દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

માંગરોળમાં તળાવમાં ડૂબવાથી બે સગા ભાઈઓના મોત

મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં બે કિશોરો દાદા સાથે મારીમારી કરવા ગયા હતા. આ દરમિયાન બંને કિશોરો તળાવના પાણીમાં પડ્યા હતા. જોતજોતામાં બંને સગીર તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. 

આ પણ વાંચો: ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભાજપની જીત

પૌત્રોને ડૂબતા જોઈને દાદાએ બૂમાબૂમ કરીને સ્થાનિકોને બોલાવ્યા હતા. જેમાં ભારે જહેમત બાદ સ્થાનિકોની મદદથી બંને કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જાણ થતાં કોસંબા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.