ડી.એન.એ. મેચ નહીં થતા વડોદરાના બે પરિવારને હજી મૃતદેહ મળ્યા નથી
બંને પરિવાર છ દિવસથી અમદાવાદમાં છે : સ્વજનના મૃતદેહની પ્રતીક્ષા કરી રહ્યા છે
વડોદરા,અમદાવાદમાં ગયા ગુરૃવારે બપોરે થયેલા પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર વડોદરાના માતા પુત્રી તથા પૌત્રનું મોઢું જોવા માટે લંડન જવા નીકળેલા મહિલાના હજી કોઈ સગડ મળ્યા નથી . બંને પરિવારો છેલ્લા છ દિવસથી અમદાવાદમાં છે.
વાડી ખત્રીપોળમાં રહેતા સદીકાબેન તથા તેમની અઢી વર્ષની પુત્રી ફાતિમા દિયેરના લગ્ન માટે લંડનથી વડોદરા આવ્યા હતા અને લગ્ન પ્રસંગ પૂરો થયા પછી માતા પુત્રી પરત લંડન જવા નીકળ્યા હતા. ગુરૃવારે અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં બંને માતા પુત્રીના મોત થયા છે. બનાવને છ દિવસ થયા પછી પણ માતા પુત્રીના મૃતદેહ હજી પરિવારને સોંપવામાં આવ્યો નથી. જેના પરિણામે પરિવારમાં આક્રોશ છે. તેવી જ રીતે વાડી બદ્રી મહોલ્લામાં રહેતા મરિયમબેન દીકરીના પુત્રનું મોઢું જોવા માટે પહેલી વખત જ લંડન જવા નીકળ્યા હતા અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. આ બંને પરિવાર છેલ્લા છ દિવસથી અમદાવાદમાં છે અને સ્વજનોના મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ, હજી સુધી તેઓના મૃતદેહ પરિવારજનોને મળ્યા નથી. પરિવારજનોનું કહેવું છે કે, હજી અમને રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે. કદાચ ડી.એન.એ. મેચ થયા નથી.