Gujarat

નશાની હાલતમાં બે શખ્સોએ વેપારીના મોપેડને નુકસાન પહોંચાડ્યું

By GS TEAM
18 Aug 20251 min read
નશાની હાલતમાં બે શખ્સોએ વેપારીના મોપેડને નુકસાન પહોંચાડ્યું


ખોડીયારનગર ખાતે રહેતા પ્રજ્ઞેશકુમાર દોશી વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલ નજીક કાન્હા લક્ઝરીયસ કોમ્પ્લેક્સમાં શ્રીજી પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાન ધરાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે વિશ્વેશ માછી નામનો શખ્સ નશાની હાલતમાં દુકાને આવ્યો હતો. અને "દુકાન બંધ કરી દે નહીં તો તોડફોડ કરીશ" તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અપશબ્દો કહી મારી એકટીવાને નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વેશ માછીના મિત્ર વીરુએ મારી ઉપર પથ્થરનો ઘા કર્યો હતો. જેથી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કરતા બંને શખ્સો "તારાથી થાય તે કરી લેજે" તેમ કહી નાસી છૂટ્યા હતા. ઉક્ત ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.