Get The App

કચ્છના અંજાર નજીક 3 વાહનો વચ્ચે અકસ્માત, બેના મોત, ચાર ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છના અંજાર નજીક 3 વાહનો વચ્ચે અકસ્માત, બેના મોત, ચાર ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા 1 - image


Kutch Accident | કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં અંજાર-સતાપર રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વાહનો લપેટાઈ ગયા હતા. માહિતી અનુસાર એક પૂરપાટ ગતિએ દોડતી કારે અન્ય વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. હાલમાં ઘાયલોને તાત્કાલિક સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર 

માહિતી અનુસાર અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. કારચાલકે બેથી 3 બાઇકને અડફેટે લીધી હતી. જેના લીધે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા. જ્યારે બે વ્યક્તિના મોતની પુષ્ટી થઈ હતી. સ્થાનિકોએ કારચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નાસી છૂટવામાં સફળ થયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને 108ની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


Tags :