જામનગરમાં મહાકાળી સર્કલ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર માલગાડી હેઠળ કપાઈ જતા યુવાનનું કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન પર દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. અને ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાનનું માલગાડી હેઠળ કચડાઈ જતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
ગઈકાલે તા. 30.03.2026 ના રોજ વહેલી સવારે અંદાજે 03:30 કલાકે દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જતા પુલ નીચે રેલવે ટ્રેક પર આ બનાવ બન્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ મરણજનાર પ્રવિણભાઈ ભવાનભાઈ મેથાણીયા (ઉ.વ.26), રહે. મહાદર્શન ગૌશાળા ફેઝ-3, ઉદ્યોગનગર, જામનગર, રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે અચાનક આવતી માલગાડીની અડફેટે આવી ગયા હતા.
આ અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, તથા જમણા હાથના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ સુરેશભાઈ ભવાનભાઈ મેથાણીયા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.









