આણંદ શહેરમાં મનપા બન્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા યથાવત્
- પાર્કિંગ સમસ્યા નિવારવા આયોજન કરવાનું મનપાનું રટણ
- મનપા હસ્તકની પડતર જગ્યામાં વિવિધ જગ્યાએ પાર્કિંગ સ્ટેન્ડ ઉભા કરવા માંગણી
આણંદ શહેરના સ્ટેશન રોડ પર જૂના બસ સ્ટેશન સહિત અન્ય માર્ગો પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જેના પરિણામે માર્કેટ અને સિટી બસ સ્ટેન્ડની જગ્યાએ પાર્કિંગ નહીં હોવા છતાં વાહન ચાલકોને ગમે ત્યાં વાહન પાર્ક કરવાની ફરજ પડે છે. આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સ્ટેશન રોડ સહિત અન્ય જગ્યા પાકગ સ્ટેન્ડ ઉભા કરવામાં આવે તો હજારો વાહનચાલકોને રાહત થાય તેમ છે.
આણંદ શહેરના વૃંદાવન ગ્રાઉન્ડ, ગણેશ ચોકડી, પાણીની ટાંકી પાસે, મહેન્દ્ર ચાર રસ્તા, નવા અને જૂના બસ સ્ટેન્ડ, ગંજ બજાર, આણંદ વિદ્યાનગર રોડ, ગામડી વડ, અહિંસા ચોક, ઈન્દિરા ગાંધી સ્ટેચ્યૂ રોડ સહિત અન્ય જગ્યાએ પડતર જગ્યામાં વહેલી તકે મહાનગરપાલિકા તંત્ર પોતાના હસ્તક લઈલે તેવી રજૂઆતો પણ અગાઉ કરવામાં આવી હતી.
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પાલિકાની માલિકીના પ્લોટમાં જાહેર પાકગની સુવિધાઓ ઊભી કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માંગણી ઉઠી છે. આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જાણાયું હતું કે, ભૂતકાળમાં આવી રજૂઆત મળી હતી પરંતુ, હજુ કોર્પોરેશન દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. પાકગ સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા આયોજન કરી રહી છે.