Get The App

જામનગરની ટ્રાફિક શાખામાં ગત વર્ષ દરમિયાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ કર્મચારીનું એસ.પી. દ્વારા સન્માન કરાયું

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની ટ્રાફિક શાખામાં ગત વર્ષ દરમિયાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ કર્મચારીનું એસ.પી. દ્વારા સન્માન કરાયું 1 - image

જામનગરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા કે જેઓએ ગત ૨૦૨૫ ના વર્ષ દરમિયાન ટ્રાફિકને લગત વાહન ચાલકો પાસેથી સમાધાન પેટે 15,26,500 જેટલો દંડ વસૂલ કરી ટ્રાફિક નિયમન કરવા અંગે નિષ્ઠાપૂર્વકની કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા ટ્રાફિક શાખા ના કર્મચારી મનોહરસિંહ ઝાલા ને પોતાની કચેરીમાં બોલાવી પ્રશંસા પત્ર એનાયત કર્યો હતો, અને વિશેષથી સન્માન કર્યું હતું.