Gujarat
કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી જર્જરીત દસ દુકાન ધરાશાયી
By GS TEAM
8 Oct 20251 min read

અમદાવાદ,બુધવાર,8 ઓકટોબર,2025
બુધવારે સાંજે ૭ કલાકના સુમારે શહેરના કાલુપુર રેલવે
ઓવરબ્રિજ ઉપર આવેલી જર્જરીત દસ દુકાનો વાઈબ્રેશનના કારણે ધરાશાયી થતાં ભારે
ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર
વિભાગે બે વાહન ઘટના સ્થળે મોકલી બચાવ કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ ઘટનામા કોઈને
ઈજા કે જાનહાની થવા પામી નહતી. સરસપુરથી કાલુપુર તરફ રેલવે પોર્શનથી ડાબી તરફ
આવેલી આ દુકાનો બ્રિજની કામગીરીમા ડ્રીલીંગ કરવામા આવતુ હતુ એ સમયે વાઈબ્રેશનના
કારણે ધરાશાયી થઈ હોવાનુ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.








