વેપારીેએ બચત મંડળીના રૂ.૩૦ લાખ લઇને પરત નહી આપ્યાની ફરિયાદ
નરોડા પોલીસે તપાસ શરૂ કરી
બચત મંડળીના બાકી હપતા ભરવાનું કહેતા વેપારીએ વ્યાજખોરીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી
અમદાવાદ,શનિવાર
ગાંધીનગરના કોબામાં રહેતા એક વેપારીએ તેના અન્ય વેપારી મિત્રો સાથે બચત મડંળીમાંથી ૩૦ લાખની રકમ લીધા બાદ નાણાં જમા નહી કરાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અંગે નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. નવા નરોડા ૧૦૮ કોલ સેન્ટર પાસે આવેલા અનંતા સ્કેવર ખાતે રહેતા નયનભાઇ ધીનોજોએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમણે ૧૨ સભ્યોની બચત મંડળી શરૂ કરી હતી. આ સભ્યોમાં કોબા કે રાહેજા રોડ પર આવેલા સમય એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા કૌશલ પટેલનો પણ સમાવેશ થતો હતો. આ બચત મંડળીમાં નિયત કરેલી રકમ દર મહિને જમા કરાવીને વેપારીને ડે કે કુલ રકમ પર બે ટકા વ્યાજ લઇને કુલ રકમ આપવાનો નિયમ હતો. જે અનુસંધાનમાં કૌશલ પટેલે ૩૦ લાખ રૂપિયા લીધા હતા.
જે નિયત કરેલા હપતા ચુકવવાનું નક્કી કરાયું હતું. પરંતુ, કૌશલ પટેલે ત્રણ થી ચાર હપતા ભર્યાના હતા. પરંતુ, ત્યારબાદ નાણાં આપવાનું બંધ કરી દીધા હતા. જેથી બચત મંડળીના અન્ય સભ્યોએ નાણાંની માંગણી કરતા ખોટા વાયદા કર્યા હતા અને ત્યારબાદ ધમકી આપી હતી કે બચત મંડળીના નામે વ્યાજખોરીનો કારોબાર કરવામાં આવતો હોવાની ખોટી ફરિયાદ કરી દેશે. છેવટે આ અંગે નરોડા પોલીસ મથકે સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.