Gujarat

ભૂજીયા કોઠા રેસ્ટોરેશન તેમજ નવા આઇકોનિક ફૂટ ઓવર બ્રિજ માટે કુલ 41 કરોડનો ખર્ચ થશે

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
જામનગરની ઐતિહાસિક ધરોહર એવા ભુજીયા કોઠાનો ફેઝ -1નું રેસ્ટોરેશન કાર્ય 95 ટકા પૂર્ણ થઈ ગયું છે. તેના માટે 23 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરની આ ઐતિહાસિક ધરોહર ભૂજીયા કોઠાને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટેનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભૂજીયા કોઠા રેસ્ટોરેશન તેમજ નવા આઇકોનિક ફૂટ ઓવર બ્રિજ માટે કુલ 41 કરોડનો ખર્ચ થશે

જામનગરની ઐતિહાસિક ધરોહર એવા ભુજીયા કોઠાનો ફેઝ -1નું રેસ્ટોરેશન કાર્ય 95 ટકા પૂર્ણ થઈ ગયું છે. તેના માટે 23 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરની આ ઐતિહાસિક ધરોહર ભૂજીયા કોઠાને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટેનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ફેઈઝ- 2માં બીજો અઢાર કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, અને ભુજીયા કોઠા થી ખંભાળિયા ગેઇટ કે જેમાં ગઢની રાંગ તરીકે ઓળખાતી જૂની દીવાલ ઉપર રેસ્ટોરેસનનું કાર્ય હાથ ધરી લઈ પાથ-વે બનાવાઈ રહ્યો છે, જ્યારે ભૂજીયા કોઠાથી લાખોટા કોઠા સુધીનો આઇકોનીક ફૂટ ઓવર બ્રિઝ બનાવવામાં આવશે, તેના માટે 18 કરોડનો ખર્ચ મંજૂર થયો છે.

જે પૈકી ખંભાળિયા ગેઇટ તરફનો પાથ-વે ટુક સમય માંજ તૈયાર થઈ જશે, અને આગામી બે મહિના સુધીમાં જ નગર જનો માટેનું નવું નજરાણું ખુલ્લુ મુકવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.