Gujarat

ગાઝા પીડિતો બનીને મસ્જિદોમાંથી ભંડોળ ઉઘરાવતા ત્રણ સીરિયન નાગરિક ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દિલ્હીમાં કાર્યવાહી

By GS TEAM
6 Sep 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ સીરિયન નાગરિકોની ધરપકડ કરી છે, જેઓ કથિત રીતે ગાઝા સંઘર્ષના પીડિતો હોવાનો ઢોંગ કરીને અમદાવાદ અને દિલ્હીની મસ્જિદોમાંથી ભંડોળ એકત્ર કરતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝા પીડિતો બનીને મસ્જિદોમાંથી ભંડોળ ઉઘરાવતા ત્રણ સીરિયન નાગરિક ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દિલ્હીમાં કાર્યવાહી

Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ સીરિયન નાગરિકોની ધરપકડ કરી છે, જેઓ કથિત રીતે ગાઝા સંઘર્ષના પીડિતો હોવાનો ઢોંગ કરીને અમદાવાદ અને દિલ્હીની મસ્જિદોમાંથી ભંડોળ એકત્ર કરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ઝકરિયા (ઉં.વ. 34), યુસુફ (ઉં.વ. 27) અને અહમદ (ઉં.વ. 27) દમાસ્કસ, સીરિયાના રહેવાસી છે. તેઓ 8 ઓગસ્ટ, 2025ના રોજ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા, જે 2 ઓક્ટોબર સુધી માન્ય હતા. શરૂઆતમાં તેઓ શાહ આલમ વિસ્તારની એક મસ્જિદમાં 10-12 દિવસ રોકાયા હતા અને ત્યારબાદ દિલ્હી ગયા હતા, જ્યાં તેમણે સ્થાનિક મસ્જિદોમાં પૈસા એકઠા કરવાનો પ્રયાસ કર્યો હતો.


પોલીસે જણાવ્યું કે, આ ત્રણેય આરોપીઓ એકબીજાના સંબંધી છે. તેઓ મસ્જિદોમાં પૂજા કરનારાઓ પાસે જઈને એવો દાવો કરતા હતા કે તેમના માતા-પિતા બીમાર છે અને તેઓ ગાઝામાંથી વિસ્થાપિત થયા છે. તેઓ ખોટા બહાના હેઠળ દાન મેળવતા અને તે પૈસાનો ઉપયોગ ભારતમાં તેમના રોકાણ માટે કરતા હતા.

દિલ્હી એરપોર્ટથી આરોપી ઝડપાયા

અગાઉ, ક્રાઈમ બ્રાન્ચે અન્ય એક સીરિયન નાગરિક, અલી મેધાત અલજાહેરને એલિસબ્રિજની એક હોટલમાંથી અટકાયતમાં લીધો હતો, જે આ જ નેટવર્કનો ભાગ હતો. તેની પૂછપરછના આધારે, આ ત્રણ સીરિયન નાગરિકો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. 3 સપ્ટેમ્બરે, તેઓ દુબઈ થઈને દમાસ્કસ જતી ફ્લાઇટમાં બેસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.


આરોપી પાસેથી અમેરીકન ડોલર મળ્યા

ઝડતી દરમિયાન તપાસકર્તાઓને અહમદ પાસેથી 1,290 અમેરીકન ડોલર, યુસુફ પાસેથી 975 અમેરીકન ડોલર અને ઝકરિયા પાસેથી 720 અમેરીકન ડોલર મળી આવ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે, અહમદ અગાઉ બે વાર તેના પરિવાર સાથે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને લખનઉ અને દિલ્હીની મસ્જિદોમાંથી પૈસા એકત્ર કર્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, અનેક કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓએ ત્રણેયની પૂછપરછ કરી છે અને તેમને દેશનિકાલ કરવાની તથા બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમના પાસપોર્ટની પણ ખરાઈ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો

ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું કે, “પ્રાથમિક દૃષ્ટિએ, આરોપીઓએ વિઝા નિયમોનો ભંગ કર્યો છે અને ભારતમાં તેમના રોકાણનો દુરુપયોગ કર્યો છે. તેમણે વિવિધ મસ્જિદોમાંથી એકત્ર કરેલા ભંડોળનો અંતિમ ઉપયોગ ક્યાં થયો તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.”